હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી
રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી
કોઈ તને રામ કહે કોઈ તને શ્યામ કહે
કોઈ કહે નંદનો કિશોર ----- ---- કયા
મથુરામાં મોહન ગોકુળ માં ગોવાળિયો
અયોધ્યામાં રાજા રઘુવીર ---- ----ક્યા
પંઢરપુર માં પાંડુરંગ વિઠ્ઠલા
દ્વારકામાં રાય રણછોડ ---- ----કયા
મહેતા નરસિંહનો સ્વામી શામળિયો
મીરાંનો ગિરિધર ગોપાળ ----- ----ક્યા
તુલસીદાસના ઈષ્ટદેવ રામજી
નારેશ્વરના દત્ત ભગવાન ---- ----કયા
ભક્તજનો ના કામ જ કરવા
રૂપ ધર્યા છે અનેક ------ ------કયા